A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Apr 23 2021 2:17PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
18 વર્ષથી ઉપરના બધાને કોવિડ રસીકરણ માટેની નોંધણી પ્રક્રિયા 28 એપ્રિલથી શરૂ થશે.
          
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના સાતમા તબક્કાનો જાહેર પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે.
          
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ 19નું વધારે સંક્રમણ ધરાવતાં રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી.
          
રાજ્યમાં કોરોના સંક્રમણનો આંક 13 હજારને પાર, તો તેની સામે પાંચ હજાર દર્દીઓ સાજા થયા
          
મહારાષ્ટ્રના નાસિકમાં મ્યુનિ. હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય બંધ થતા કોવિડના 22 દર્દીઓના મૃત્યુ થયા હતા, પોલીસે અજ્ઞાત વ્યક્તિઓ સામે FIR દાખલ કરી
          
Mar 15, 2020
,
7:51PM
રાજય સરકારે કોરોના વાયરસ સંદર્ભે લીધેલા પગલાંઓની વિગતો આપવા ગાંધીનગર ખાતે આરોગ્ય લક્ષી સમીક્ષા બેઠક યોજાઇ હતી.
આકાશવાણી
રાજય સરકારે કોરોના વાયરસ સંદર્ભે લીધેલા પગલાંઓની વિગતો આપવા આજે ગાંધીનગર ખાતે આરોગ્ય લક્ષી સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ ઉપસ્થિત રહયાં હતા. રાજયના મુખ્ય સચિવ અનિલ મુકીમ અને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડોકટર જયંતીરવિએ બેઠકની વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના વાયરસ સામે તકેદારી અને સાવચેતીના આગોતરા પગલા રૂપે રાજય સરકારે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે.
રાજયમાં શાળા, કોલેજો શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આવતી કાલથી બે અઠવાડીયા માટે બંધ રહેશે. જો કે શિક્ષકો, પ્રાધ્યાપકો અને બિન શૈક્ષણિક સ્ટાફને હાજરી આપવાની રહેશે. પરંતુ હાલમાં રાજયમાં જે બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે તે યથાવત રહેશે. આ ઉપરાંત રાજયના સિનેમા ઘરો, સ્વીમીંગ પુલ પણ બંધ રહેશે. રાજયમાં જાહેર સ્થળોએ થુકવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. એટલુ જ નહી જો કોઇ વ્યકિત આ પ્રતિબંધનો ભંગ કરશે તો પાંચસો રૂપિયાનો દંડ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ ધ્વારા લેવામાં આવશે. તમામ ધાર્મિક સંસ્થાઓ સંપ્રદાયોને પોતાના મેળાવડાઓ, ધાર્મિક કાર્યક્રમો આગામી બે સપ્તાહ સુધી ના યોજવા પણ રાજય સરકારે અનુરોધ કર્યો છે.
દરમિયાન ભારતીય જનતા પક્ષે પણ ગુજરાતમાં યોજાનાર આગામી જાહેર કાર્યક્રમો તેમજ કેન્દ્રીય અને ગુજરાત બજેટની કાર્યશાળાઓના કાર્યક્રમો બે અઠવાડીયા સુધી મોકુફ રાખ્યા છે તેમ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે.
સંબંધિત સમાચાર
લોકરક્ષક દળની ભરતીમાં મહિલા ઉમેદવારોની જગ્યાઓ વધારવાનો રાજ્ય સરકારનો નિર્ણય
રાજ્ય સરકાર દ્વારા ઘઉં અને ચણાની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા ઘઉં અને ચણાની ટેકાના ભાવે ખરીદી કરાશે-
રાજ્ય સરકાર પહેલી એપ્રિલથી ચણા અને રાયડાની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરશે
રાજ્ય સરકારએ રાજ્યનું પ્રથમ સ્કૂલ ઓફ એડવાન્સ્ડ ડિફેન્સ સ્ટડીઝ સેન્ટર સ્થાપવાનો નિર્ણય કર્યો
કોરોના વાઇરસના સંભવિત પડકારને પહોંચી વળવા રાજ્ય સરકાર સંપૂર્ણ સજ્જ
રાજ્ય સરકાર 16 માર્ચથી ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો પ્રારંભ કરશે.
રાજ્ય સરકારે દસ્તાવેજ નોંધણી માટે ઓનલાઇન ટોકન પ્રથા તાજેતરમાં અમલમાં મુકી છે. -મહેસૂલ મંત્રી કૌશિક પટેલ
સફાઇ કામદારોને તમામ અધિકારો ઉપલબ્ધ કરાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રયત્નશીલ -મનહરભાઇ ઝાલા
તમામ કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તણાવ મુક્તિ માટે પરીક્ષા પર્વની ઉજવણી
લાઈવ ટ્વીટર ફીડ