A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Apr 16 2021 7:25PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશમાં ઓક્સિજનનો પુરતો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે વ્યાપક સમીક્ષા બેઠક કરી
          
રાજ્યોમાં ઓક્સીજન,વેન્ટીલેટર અને રેમદડેસીવીર ઇન્જેક્શન મુદ્દે આરોગ્ય મંત્રીઓની બેઠકમાં સમિક્ષા થશે
          
કોરોના દર્દીઓ માટે સેવારત આરોગ્ય કર્મીઓને બિરદાવતા મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું સવા છકરોડ લોકોના આશીર્વાદ તમારી સાથેછે
          
કોવિડ સારવારમાં જોતરાયે લાઇન્ટર્ન અને રેસિડેન્ટ ડોક્ટરને માસિક રૂપિયા પાંચહજાર નુંકોવિડ પ્રોત્સાહન ભથ્થું અપાશે
          
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કોરોના સંક્રમણને ફેલાતો રોકવા કેટલાક અસરકારક પગલાઓ લેવાઇ રહ્યા છે.
          
પ્રાદેશિક સમાચાર
પૂર્વ કચ્છ ના ભચાઉ અને સમાખીયાળી પંથક માં કમોસમી છાંટા પડતાં અજમા અને ઈસબગુલ ની ખેતી ની નુકસાન ની ભીતિ
પૂર્વકચ્છ ના વાતાવરણ માં સાંજ ના સુમારે વાતાવરણ માં અચાનક પલટો આવતા આકાશ વાદળછાયું બનીગયું હતું અને ઠેર ઠેર કમોસમી વરસાદ ના છાંટા પડ્યા હતા અને ભારે પવન ની ડમરીઓ ઊડી હતી. અમારા પ્રતિનિધિ જણાવે છે કે ભચાઉ અને સમાખીયાળી પંથક માં રસ્તા ભીના થઈ ગયા એટલું ઝાપટું પડ્યું હતું.
જામનગર અને કચ્છ પંથક માં ફેલાયેલા કોરોના સંક્રમણ ની સમિક્ષા માટે કોવિડ કોર કમિટી સાથે મુખ્યમંત્રી રૂપાણી કાલે ત્યાં પહોંચશે
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની સાથે રાજ્ય કક્ષાનીકોર કમિટીના સભ્યો આવતીકાલે ૧૭ એપ્રિલ ના રોજ ભુજ અને જામનગર પહોંચશે અને કોવિડ સંક્રમણ નાથવા માટેત્યાં થઈ રહેલી કામગીરી ની સમિક્ષા કરશે અને ત્રુટિ જણાય ત્યાં ઉપાય પણ સૂચવશે
સુરતની નવી સિવિલ હોસ્પિટલને પી.એમ. કેર્સ ફંડમાંથી વધુ ૧૦ વેન્ટિલેટરની ફાળવણી કરવામાં આવી
સુરતની નવી સિવિલ હોસ્પિટલને પી.એમ. કેર્સ ફંડમાંથી વધુ ૧૦ વેન્ટિલેટરની ફાળવણી કરવામાં આવી છે.ભારત ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદિત આ વેન્ટિલેટર સુરત આવી પહોંચતા આરોગ્ય સુવિધામાં વધારો થશે.
દીવ પ્રશાસન દ્વારા રોજીંદા વેપારીઓ અને મજૂર વર્ગ માટે બે દિવસ રસીકરણ કેમ્પ યોજાયો
દીવના ઘોઘલા સર્કિટ હાઉસ ખાતે દીવ પ્રશાસન દ્વારા રાજ્યથી આવતા રોજીંદા વેપારીઓ અને મજૂર વર્ગ માટે દીવ કલેકટર શ્રીમતી સલોની રાયના માર્ગદર્શન હેઠળ બે દિવસ રસીકરણ કેમ્પ યોજાયો. બહારથી આવતા લોકો દીવમાં કોરોના સંક્રમણ ના ફેલાવે તેથી દીવ પ્રશાસન દ્વારા આ એક મહત્વ નો નિર્ણય લેવામાં આવ્યો છે
મોરવા હડફ ધારાસભા બેઠકની પેટા ચૂંટણી માટે આવતીકાલે 17 મી એપ્રિલ ના રોજ મતદાન યોજાશે
પંચમહાલ માં આદિવાસી માટે અનામત એવી મોરવા હડફ ધારાસભા બેઠકની પેટા ચૂંટણી માટે આવતીકાલે 17 મી એપ્રિલ ના રોજ મતદાન યોજાશે . પેટા ચૂંટણી લડી રહેલા ત્રણ પૈકી એક નારાજકીય ભવિષ્ય નો ફેંસલો કરવાનો મતાધિકાર બે લાખ 19 હજારથી વધુ મતદારો ના હાથ માં છે.
સોમનાથ પવિત્ર ત્રિવેણી સંગમ નદીને સ્વચ્છ અને જળ ક્ષમતા વધારવાનું અભિયાન પુરજોશ ગતિમાં
સોમનાથ પવિત્ર ત્રિવેણી સંગમ નદીને સ્વચ્છ અને જળ ક્ષમતા વધારવાનું અભિયાન પુરજોશ ગતિમાં છે. ત્રિવેણી સંગમ નદી ૧૭૦૦૦ ઘન મીટર ની ઉંડાઇ સુધી સ્વચ્છ થશે. જેથી જળ સંગ્રહ ક્ષમતા વધશે.
રાજ્ય સરકાર દ્વારા અરવલ્લી જિલ્લામાં શ્રમિક ધનવંતરી રથની ફાળવણી કરવામાં આવી
રાજ્ય સરકાર દ્વારા અરવલ્લી જિલ્લામાં શ્રમિક ધનવંતરી રથની ફાળવણી કરવામાં આવીછે. આ શ્રમિક ધનવંતરી રથને જિલ્લા કલેક્ટર દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
હવે નવસારી જિલ્લાને દરરોજ 20 ટન ઓક્સિજનનો પુરવઠો મળી રહેશે
નવસારી જિલ્લામાં છેલ્લા પાંચેક દિવસથી ઓક્સિજનની અછત વર્તાતી હતી. દરરોજ 2400બોટલોની જરૂરિયાત સામે જિલ્લાની ખાનગી હોસ્પિટલોને માંડ 1400 બોટલો મળતી હતી અનેતેને કારણે કોરોનાના ગંભીર દર્દીઓના જીવ સામે જોખમ ઊભું થયું હતું.
રાજકોટ જિલ્લામાં વિરનગર ખાતે આગામી થોડાક દિવસોમાં ૫૦ બેડની ઓકસીજનની સુવિધા સાથેની હોસ્પીટલ તૈયાર થઇ જશે
રાજકોટ જિલ્લામાં વિરનગર ખાતે આગામી થોડાક દિવસોમાં ૫૦ બેડની ઓકસીજનની સુવિધા સાથેનીહોસ્પીટલ તૈયાર થઇ જશે. પચાસ બેડની સુવિધા ઉપલબ્ધ થતાં આસપાસના વિસ્તારના લોકોનેદાખલ કરી શકાશે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ શહેરમાં 50 લાખ રૂપિયાની લૂંટ થઈ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ શહેરમાં 50 લાખ રૂપિયાની લૂંટ થઈ છે. થાનગઢની મહાલક્ષ્મી શેરીમાં રહેતા વિરલભાઇ હસમુખ ગાંધી ઘરેથી થેલામાં આશરે ૫૦ લાખ રૂપિયા લઈ એક્ટીવાપર આંગડિયા પેઢી તરફ જઈ રહ્યા હતા ત્યારે ત્રણ અજાણ્યા શખ્સોએ તેમની સાથે ઝપાઝપીકરી મરચાની ભૂકી છાંટી રોકડ ભરેલો થેલો લઇને નાસી છૂટયા હતા
પ્રાદેશિક સમાચાર
પૂર્વ કચ્છ ના ભચાઉ અને સમાખીયાળી પંથક માં કમોસમી છાંટા પડતાં અજમા અને ઈસબગુલ ની ખેતી ની નુકસાન ની ભીતિ
જામનગર અને કચ્છ પંથક માં ફેલાયેલા કોરોના સંક્રમણ ની સમિક્ષા માટે કોવિડ કોર કમિટી સાથે મુખ્યમંત્રી રૂપાણી કાલે ત્યાં પહોંચશે
સુરતની નવી સિવિલ હોસ્પિટલને પી.એમ. કેર્સ ફંડમાંથી વધુ ૧૦ વેન્ટિલેટરની ફાળવણી કરવામાં આવી
દીવ પ્રશાસન દ્વારા રોજીંદા વેપારીઓ અને મજૂર વર્ગ માટે બે દિવસ રસીકરણ કેમ્પ યોજાયો
મોરવા હડફ ધારાસભા બેઠકની પેટા ચૂંટણી માટે આવતીકાલે 17 મી એપ્રિલ ના રોજ મતદાન યોજાશે
સોમનાથ પવિત્ર ત્રિવેણી સંગમ નદીને સ્વચ્છ અને જળ ક્ષમતા વધારવાનું અભિયાન પુરજોશ ગતિમાં
રાજ્ય સરકાર દ્વારા અરવલ્લી જિલ્લામાં શ્રમિક ધનવંતરી રથની ફાળવણી કરવામાં આવી
હવે નવસારી જિલ્લાને દરરોજ 20 ટન ઓક્સિજનનો પુરવઠો મળી રહેશે
રાજકોટ જિલ્લામાં વિરનગર ખાતે આગામી થોડાક દિવસોમાં ૫૦ બેડની ઓકસીજનની સુવિધા સાથેની હોસ્પીટલ તૈયાર થઇ જશે
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ શહેરમાં 50 લાખ રૂપિયાની લૂંટ થઈ
પ્રથમ
અગાઉના
1
2
3
4
5
આગળ
છેલ્લા
Page 1 of 5
લાઈવ ટ્વીટર ફીડ